
Nirmohi Publication
ઋણાનુબંધ - સંવેદનાની અભિવ

ઋણાનુબંધ - સંવેદનાની અભિવ
મારી ટૂંકી વાર્તાઓનું પ્રથમ પુસ્તક 'ઋણાનુબંધ - સંવેદનાની અભિવ્યક્તિ' આપ સૌ સમક્ષ રજૂ કરતાં અનહદ આનંદની અનુભૂતિ કરી રહી છું. મારા દ્વારા જોયેલા કિસ્સા, અનુભવેલા સંબંધો, જાણેલું અને જોયેલું ઘણું બધું મારા વિચારોને આધીન કંડારીને વાર્તાઓ સ્વરૂપે આપ સમક્ષ પ્રસ્તુત કરી રહી છું. વિવિધ પાત્રો એ લેખકની કલમની કરામત હોય છે. મેં મારા વિવિધ પાત્રોને મારી કલ્પનાના રંગથી નિતારીને તૈયાર કર્યા છે. એક સારો બોધ આપે અને એક પોઝિટિવ મેસેજ છોડે એવી મારી અપેક્ષાથી કામ કર્યું છે. દરેક વાર્તાની રજૂઆત અને વર્ણન એકમેકથી અલગ તેમજ અનોખા છે. એકાદ બે વાર્તામાં સત્ય ઘટનાના અંશને અર્ક તરીકે સ્વીકારીને પાત્રને મેં મારી રીતે ઘડ્યું છે.
અમદાવાદની નામાંકિત શાળા 'શ્રી નારાયણ ગુરુ વિદ્યાલય' માં આસિસ્ટન્ટ ટીચર તરીકે છેલ્લા 27 વર્ષથી કાર્યરત છું. અનેકવિધ વાલીઓના સંપર્કમાં આવવાનું થાય છે. એમની સમસ્યાઓ, એમના જીવનમાં ઉદ્દભવતી બાબતો, એમને નડતરરૂપ બનતા પારિવારિક કિસ્સાઓ, એ મારી સાથે ચર્ચા કરતા હોય છે અને એમાંથી જ મને વિચાર બીજ પ્રાપ્ત થતું હોય છે. એટલું જ નહીં આજની યુવા પેઢી મોજ અને મનોરંજનની પાછળ ઘેલી બની છે. સોશિયલ મીડિયાનો બેફામ ઉપયોગ કરે છે. પોતાની જા
Author: Khyati Desai |
Publisher: Nirmohi Publication |
Publication Date: Apr 13, 2024 |
Number of Pages: 166 pages |
Binding: Paperback or Softback |
ISBN-10: NA |
ISBN-13: 9798224148400 |